“Quotes”

Upcoming Events

Events that we have planned for the near future. Final dates and details on these upcoming events will be forthcoming soon

Spiritual Essays

book img
પ્રભુ કઈ પળે તું મળે મને...

દેહધારી જીવન પ્રભુની દિવ્ય ચેતનાના આધારે જીવી શકાય છે. તે દિવ્ય ચેતનાની ઊર્જા શક્તિનો સાત્ત્વિક ગુણોનો પ્રભાવ વિચાર-વર્તન રૂપે પ્રગટે, તેને કહેવાય જ્ઞાન-ભક્તિનું સદાચરણ, જિજ્ઞાસુ ભક્ત શાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવા માટે સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરે અને અધ્યયન રૂપે સૂક્ષ્મ ભાવાર્થ ગ્રહણ કરતો રહે. અધ્યયનની નિષ્ઠાના લીધે તન-મનની એકબીજાને આધારિત કિયાઓનો સંદર્ભ અને સમજાતો જાય.એવી સમજ રૂપે કે સ્વીકાર થાય, કે તન-મનની જીવંત સ્થિતિનો સંબંધ પ્રભુની આત્મીય ચેતના સાથે છે. તેથી જિજ્ઞાસુ ભક્ત આત્મીય સંબંધની દિવ્યતાને માણવા માટે, આત્મીય સ્વાનુભૂતિનો આનંદ માણવા માટે, જ્ઞાન-ભકિતના સદ્ભાવથી જીવન જીવવાનો પુરુષાર્થ કરતો રહે. એવાં પુરુષાર્થ રૂપે તે અનુભવે કે, “પળે પળે બદલાતી પળ સ્વરૂપે આવિષ્કાર થાય છે પ્રભુની ચેતનાનો અને પ્રભુની ચેતનાનું ઊર્જા સ્વરૂપનું પ્રસરણ છે, એટલે તો હું છું અને જગતની વિવિધ કૃતિઓ છે.’’ આવી પ્રતીતિના લીધે જગતની દેહધારી આકૃતિઓની, કે પ્રકૃતિની વિવિધ કૃતિઓની મહત્તાનો સ્વીકાર થતો જાય.

 

પ્રકૃતિની મહત્તાના સ્વીકારમાં પ્રભુ સાથેની એકયતાનો સ્વીકાર હોય, અર્થાત્ સર્વે આકૃતિની હસ્તી પ્રભુની આત્મીય ચેતનાના લીધે જીવે છે એવાં વિશુદ્ધભાવની મનોદષ્ટિ જાગૃત થાય. જાગૃતિની પ્રસન્નતાને ભક્ત માણતો જાય અને અંતરાત્મા સાથેની સમીપતાને અનુભવતો જાય. એવી સમીપતામાં પ્રભુને વિનંતિ હોય તથા કરેલી, કે અજાણતાં થતી ભૂલોનો એકરાર હોય અને પ્રેમભાવથી સંવાદ પણ થતો હોય કે, “હે પ્રભુ! આપની ભગવત્ ભાવની શક્તિનું સંવેદન જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે જ્યારે જ્યારે અનુભવું છું, ત્યારે દેશમાં ઊર્જા તરંગોની શીતળતા પ્રસરી જાય છે. આપની ઊર્જા શક્તિની ચેતના પળે પળે શ્વાસ રૂપે અર્પણ થતી રહે છે. તે સંસારી રાગ-દ્વેષના વર્તનમાં વેડફાઇ ન જાય તે માટે સર્તક રહીને આત્મ નિરીક્ષણ કરતો રહું છું. જેથી મનના કોઈક ખૂણામાં સુષુપ્ત રહેલી અહંકારી વૃત્તિનો અંધકાર ન પ્રસરે, પણ આપના સાત્ત્વિકભાવની વિશુદ્ધતાનો ઉજાસ પ્રસરતો રહે. આપનો ભાવ એટલે જ નિઃસ્વાર્થી પ્રીતની ચેતના. તે દિવ્ય ચેતના મનના રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિ-વિચારોના લીધે પ્રસરી શકતી નથી. તેથી જ પળે પળે બદલાતી પરિસ્થિતિમાં જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી જીવવાનો પુરુષાર્થ કરું છું. એવો પુરુષાર્થ પણ આપની સાક્ષાત્ હાજરીના લીધે થાય છે તે સત્ય મનમાં અંકિત થયું છે..

 

હે નાથ! આપની દિવ્ય પ્રીતનું સંવેદન પરમ સંતોષની શાંતિનો અનુભવ ધરે છે. અદશ્યને દૃશ્યમાન કરનારી આપની દિવ્ય ચેતના જ અભિાવની જાગૃતિનો ઉજાસ ધરે છે. તે ઉજાસમાં કર્મસંસ્કારોનું આવરણ વિલીન થાય છે કે નથી થતું એવા વિચારોમાં મન ફરતું નથી, કારણ હવે ભેદ નથી રહ્યો દશ્ય-અદશ્યનો. હવે સમજાયું કે અદશ્ય દશ્યમાન થાય છે અને જે દૃશ્યમાન છે એમાં અદશ્ય ચેતનાનું જ પ્રસરણ હોવાંથી દેહધારી કૃતિઓ, કે પદાર્થો દશ્યમાન રૂપે અનુભવાય છે, એટલે દૃશ્યમાન કૃતિઓ અદશ્ય થાય તેનું દુઃખ કે અજંપો નથી, પણ પળે પળે બદલાતી પરિસ્થિતિ રૂપે આપની દિવ્ય ચેતનાનું પ્રસરણ છે એવો જ્ઞાતાભાવ જાગૃત થાય છે. તે જ્ઞાતાભાવની સ્વાનુભૂતિ રૂપી કૃપાની મહેર સદા વરસતી રહે એવી યાચના કરું છું. હરક્ષેત્રે બદલાતી પરિસ્થિતિ રૂપે દિવ્ય ચેતનાનું પ્રભુત્વ પ્રગટ થાય છે, જે ઇન્દ્રિયોથી ભલે અનુભવી ન શકાય, પણ તે સાત્ત્વિકભાવની જાગૃતિમાં, સમર્પણભાવની સમતોલનામાં પ્રકાશિત થતું રહે છે. એટલે ભાવની જાગૃતિમાં સ્થિત રાખજો, જેથી મનની મૌન સ્થિતિનો પ્રકાશ પ્રસરતો રહે. તેથી જ અંતરભક્તિમાં આપની કૃપા ધ્યાનસ્થ કરે છે, ત્યારે સ્વાનુભૂતિનો આનંદ માણી શકાય છે.—

 

…અંતર ભક્તિની પ્રસન્નતા માણવા માટે જ મનુષ્ય દેહનું દાન અર્પણ થયું છે. એ જાણીને તે દાનનો આશય પૂરો થાય એવી જાગૃતિનું જીવન આપની કૃપાથી જિવાય છે. હવે કાંટા અને ગુલાબની ભિન્નતા નથી જણાતી. કારણ કાંટા અને ગુલાબની એકરૂપતા હોવાથી ગુલાબના ફુલનું રંગીન, સુગંધી સૌંદર્ય પ્રગટે છે. એવી સત્ બોધની ધારામાં આપ તરાવો છો, એટલે તો હું તુંજમાં ઓગળતો જાઉ છું, સમાતો જાઉં છું. આપનો જ આધાર છે અને આપના આધારના લીધે આ જગતમાં કોઈ નિરાધાર નથી. એવા અહોભાવમાં ચિંતા, ભય, અસુરક્ષાના નકારાત્મક વિચારો વિલીન થઈ જાય છે. આપની સાક્ષાત્ પ્રતીતિ પાસની ક્રિયા રૂપે, પાસના સંગમાં થયાં કરે છે. ઘાસની ચેતના રૂપે આપની દિવ્ય પ્રીતની ધારા અર્પણ થાય છે. પરંતુ મનુષ્ય કર્મસંસ્કારોનું આવરણ આ પ્રીતની ધારાને પૂર્ણતાથી ઝીલી શકતું નથી...

 

..કર્મસંસ્કારોનું આવરણ એટલે જ અહંકારી રાગ-દ્વેષના વિચાર-વર્તનનો અવરોધ. તે આવરણનો પહાડ જેવો અવરોધ નિઃસ્વાર્થ પ્રેમના સદાચરણથી દૂર થઈ શકે છે. તેનું માર્ગદર્શન તમે શ્રીકૃષ્ણ લીલા દ્વારા ગોવર્ધન પહાડને આંગળી પર ઊંચકીને દર્શાવ્યું હતું. એ કૃષ્ણ લીલાનો સત્ બોધ હવે સમજાય છે, કે મનુષ્યના કર્મસંસ્કારોના પહાડનો ભાર એક આંગળી જેટલો ત્યારે ગણાય, જ્યારે ગોકુળવાસીઓની જેમ જ્ઞાન-ભક્તિના સદાચરણથી, નિઃસ્વાર્થ પ્રેમભાવથી માનવી જીવન જીવે. કૃષ્ણલીલાના બોધથી નચિંત થઈને ભક્તિભાવમાં ધ્યાનસ્થ થવાય છે અને આપના દિવ્ય ભાવનું સંવેદન પ્રકાશિત થતાં રોમેરોમ નિખાલસ આનંદથી ઊભરાઈ જાય છે. આમ છતાં પૂર્ણતાની આ અંતરયાત્રામાં પળે પળે બદલાતી પળમાં એવું લાગે છે, કે તું છે છતાં નથી. તુજના દર્શનનો આનંદ માણનાર હું છું તે પણ ભુલાતું જાય છે. જેમ જળના પ્રવાહને સ્પર્શીને નાવ આગળ વધે છે. કારણ જળ અને નાવનો અલિમભાવનો સ્પર્શ હોવાંથી, જળના પ્રવાહમાં નાવ સતત આગળ પ્રયાણ કરતી રહે છે; તેમ આ દેહધારી જીવન રૂપી નાવ આપનાં દિવ્ય ચેતનાના પ્રવાહમાં જ્ઞાન-ભક્તિના સદાચરણના લીધે આગળ પ્રયાણ કરે છે.

 

પળે પળે બદલાતી આ પળમાં, કહોને પ્રભુ કઈ પળે તું મળે મુજને;

પળે પળે શ્વાસ રૂપે મળે મુજને અને લાગે કે તુજને મેં પકડ્યો

 પકડ્યો એમાં જ છૂટી જતો તું અને લાગતું કે તુજમાં સમાતો હું;

 આવી પકડદાવમાં તે તો છોડાવ્યો અને અને પકડાયો હવે હું તુંજમાં!”

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

 

Read More
book img
મૂકી દે ને તારું બધું પ્રભુના શરણે...

સુખ ભરી હોડી કિનારે આવી, છતાં દુઃખ ભરીને કિનારે જ કરતી રહી; કપરાં સમયની યાદો એમાં ભરાતી રહી અને સાગરમાં તરવાનું ભુલાઈ ગયું; હું મન! મૂકી દેને તારું બધું પ્રભુના શરણે અને જાણ પ્રભુ સાથેનાં સંબંધને સમાઈ જા નિઃસ્વાર્થ પ્રેમના આત્મીય સંબંધથી, પછી તરશે તું પ્રભુભાવની સાત્ત્વિકતામાં.

 

મન રૂપી હોડીનો સંબંધ દેહધારી જીવન રૂપી કિનારા સાથે થાય અને શરૂ થાય મનુષ્ય જીવનની લૌકિક ગાથા. અતૃમ ઈચ્છાવૃત્તિઓના કર્મસંસ્કારો છે મનનું અથવા જીવનું સ્વરૂપ. એટલે મન રૂપી હોડીમાં ઈન્દ્રિગમ્ય ભોગ ભોગવવાની ઈચ્છાઓ ભરેલી હોય છે. તે ઈચ્છાઓની તૃપ્તિ માટે જ મનુષ્ય દેહનો આધાર જીવન(મનને) લેવો પડે છે. મનુષ્ય દેહ રૂપે દસ ઈન્દ્રિયો અને મગજના જ્ઞાનતંતુઓની કૌશલ્યભરી સુવિધા પ્રાપ્ત થવાથી, સંસારી વિષયોને ભોગવવાની ઇચ્છાઓ તો પૂરી થાય, પણ સાથે સાથે બીજી નવી ઈચ્છાઓ પણ જનમતી જાય. એટલે મન રૂપી હોડીમાં કર્મસંસ્કારોનો સામાન ભરાતો રહે છે અને હોડી લૌકિક જીવન રૂપી કિનારે જ ફરતી રહે છે. કિનારે કરતાં કરતાં તે બીજી મન રૂપી હોડીનાં સંગમાં રહે છે, એટલે કે પરિવારના વ્યવહારિક કાર્યોમાં, કે આજીવિકા રળવાના કાર્યોમાં, કે સામાજિક કાર્યો કરવામાં માનવી વ્યસ્ત રહે છે અને ઇચ્છિત વસ્તુઓની કે વ્યક્તિગત સંબંધોની આસક્તિમાં બંધાઈને જીવે છે. લોકિક પદાર્થો કે સંબંધોની આસક્તિમાં બંધાયેલું મન સંસારી વિચારોમાં જ ફરતું રહે છે. તેથી તે પ્રભુ રૂપી સાગરમાં તરવાનું ભૂલી જાય છે. એટલે સાગર સાથેના આત્મીય સંબંધનું સ્મરણ થતું નથી, કે સાગરના પાણીની મહત્તા સમજાતી નથી.

 

મન રૂપી હોડીને પ્રભુ રૂપી સાગરની અથવા સાગરના પાણી રૂપી આત્મીય ચેતનાની મહત્તા જણાતી નથી. એટલે એ ભૂલી જાય છે, કે હોડી કિનારે પણ સાગરના પાણીના લીધે જ તરી શકે છે. હોડી કદી રેતી કે માટીમાં તરી ન શકે. કિનારાના છીછરાં પાણીમાં તરતી હોડીને સાગરના ઊંડાણનો કે વિશાળતાનો ખ્યાલ નથી, કે વાસ્તવિકતા એને નથી સમજાતી કે કિનારો છોડીને સાગરમાં તરવા માટે જ મનુષ્ય શરીરની સુવિધા પ્રાપ્ત થઈ છે. જેમ લખવા માટે બોલપેનનો ઉપયોગ થાય. બોલપેનને કાન ખોતરવા માટે નથી બનાવી; તેમ મનનાં કર્મસંસ્કારોનો સામાન ઓછો કરવા માટે પ્રભુ રૂપી સાગરમાં તરાવતું માનવ દેહધારી જીવન સર્જાયું છે. સાગરના લીધે કિનારો છે, સાગરના આધારે કિનારાની રચના થાય છે, જેથી કિનારે તરતી હોડીઓ સાગરમાં સહજ તરી શકે. આ વાસ્તવિક સત્યનો સ્વીકાર કરીને જીવન જીવીએ, તો પ્રારબ્ધગત કપરાં(મુશ્કેલ) સંજોગોમાંથી પસાર થવાનું અઘરું નહિ લાગે, કિનારે તરતી મન રૂપી હોડીને જેમ જેમ સાગરના પાણીની મહત્તા સમજાતી જાય, તેમ તેમ તે કિનારાની રેતી કે માટીમાં સ્થગિત થઈને(થંભીને) નહિ રહે, એટલેકે સંસારી વિષયોના આકર્ષણથી મુક્ત થવા માટે, સાગરમાં તરવાની તત્પરતા પછી વધતી જાય.

 

જેના આધારે જીવીએ છીએ તેનો સંગ હર ક્ષણે પાસ રૂપે થાય છે. એવી અનુભૂતિથી મન રૂપી હોડી કિનારો છોડીને સાગરમાં તરવાની કેળવણી ધારણ કરે, તે છે જ્ઞાન-ભક્તિના સદાચરણ તરફ ઢળવું. પછી સ્વાનુભૂતિ રૂપે અનુભવાય, કે પ્રભુની આત્મીય ચેતનાના વહેણ શ્વાસ રૂપે સતત પ્રાપ્ત થાય છે, એમાં મનથી કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી અને તે ચેતનાની ઊર્જાના લીધે જ મગજના જ્ઞાનતંતુઓ સક્રિય રહે છે. મગજની સક્રિયતા એટલે જ વિચારવાની, સમજવાની, ક્રિયા-પ્રતિક્રિયા કરવાની, કે પરિણામને અનુભવવાની સહજતા. મગજની સહજ સક્રિય સ્થિતિનો સથવારો શરીરની વૃદ્ધ અવસ્થામાં નથી મળતો. કારણ મન રૂપી હોડીનું માત્ર કિનારે જ તરતાં રહેવાંથી, કિનારાની બીજી હોડીઓનાં સંગમાં, સંબંધોને સાચવવાના સંઘર્ષમાં, અહંકારી સ્વભાવની અથડામણમાં મગજનું રચનાત્મક વિચારોનું અને સ્મરણ શક્તિનું કૌશલ્ય ઓછું થતું જાય છે. મગજની એવી શ્રીણ થયેલી સ્થિતિના લીધે મનને પ્રભુ રૂપી સાગરમાં તરવાનું, એટલે કે જ્ઞાન-ભક્તિની અંતરયાત્રામાં ધ્યાનસ્થ થવું મુશ્કેલ લાગે છે. જ્ઞાન- ભક્તિની અંતર યાત્રા રૂપે પોતે આકારિત શરીર છે એવાં અજ્ઞાનથી મુક્ત કરાવતાં, સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મન જો તરબોળ થતું જાય, તો ચિંતનની નિષ્ઠામાં રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનનો પરિચય થાય. એવા વર્તનનો પછી પસ્તાવો થાય, ત્યારે જે જ્ઞાન સ્વરૂપ આત્મીય ચેતના છે તેની પ્રતીતિ કરાવતો સાત્ત્વિકભાવ જાગૃત થતો જાય.

 

પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ જ્યારે દરરોજના કાર્ય કે પ્રવૃત્તિ રૂપે થાય, ત્યારે આકાર અને નિરાકારના સંબંધમાં પ્રભુનું આત્મીય ચેતનાનું સંવેદન અનુભવાય. જેમકે ભોગ્ય પદાર્થના આકારને જોઈએ, ત્યારે જોતી વખતે પ્રતીતિ થાય કે આંખોની સૃષ્ટિનો કોઈ આકાર નથી અને દૃષ્ટિનો જ્ઞાતાભાવ પ્રભુની આત્મીય ચેતનાના લીધે છે. આમ આકાર-નિરાકારના જોડાણનું, તનમનનાં જોડાણનું રહસ્ય સમજાય કે દરેક સ્તરના જોડાણ રૂપે પ્રભુની ચેતનાનો યોગ છે. ઊર્જાની ચેતનાને મેળવવાનો કે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કોઈને કરવો પડતો નથી. એ તો દરેક દેહધારી જીવને સર્વકાળે પ્રાપ્ત જ હોય છે. તે ઊર્જાની ચેતનાને ઝીલનાર મન તથા તેની અભિવ્યક્તિને ઝીલનાર મગજની અને ઇન્દ્રિયોની ક્રિયાનું સ્વરૂપ પણ નિરાકારિત છે. તે ક્વિાને આંખોથી જોઈ ન શકાય, પણ તે ક્રિયાના પરિણામ રૂપે આકારિત પદાર્થોના ભોગને ભોગવી શકાય છે. આવો આકાર-નિરાકારના જોડાણનો મર્મ સમજીને જે જિજ્ઞાસુ ભક્ત જીવે, તે જ્ઞાન-ભક્તિના સાગરમાં તરતો જાય. મન રૂપી હોડીને જો જ્ઞાની ભકત રૂપી નાવિકનો સહારો મળી જાય, તો કિનારાના વળગણથી, આર્ષણથી છૂટવાની, એટલે કે સાગરમાં તરવાની લગની પ્રબળ થતી જાય. જેમ જેમ દેહધારી જીવન રૂપી કિનારાના મોહથી મુક્ત થતાં જવાય, તેમ તેમ જ્ઞાન-ભક્તિના સદાચરણથી પ્રભુ રૂપી આત્મીય સાગરમાં સહજતાથી સહેલ પતી જાય. એવી સહેલ રૂપે કર્મસંસ્કારોનો સામાન ઓછો થતો જાય અને અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થતાં પ્રભુના સાગરનું, દિવ્ય ગુણોની સાત્ત્વિકતાનું ધન ધારણ થતું જાય. આવું દિવ્ય જીવન જીવવા માટે જ આપણે મનુષ્ય શરીર ધારણ કર્યું છે, તો પ્રભુમય જીવનની દિવ્યતા કેમ ન માણીએ ??

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
મોહન તારી પ્રીતથી મિત થવું

આ જગતમાં મહાભૂતોની ઊર્જાથી સર્જાયેલી અનેક પ્રકારની આકૃતિઓ છે અને ઉપભોગી પદાર્થોની વિવિધતા છે. એમાં માનવી સિવાયની બીજી બધી કૃતિઓ પોતાની દેહધારી પ્રકૃતિ અનુસારનું જીવન જીવે છે. પરંતુ માનવી મોટેભાગે પોતે ધારણ કરેલી પ્રકૃતિને ભૂલી જાય છે. કારણ તન-મન-ઈન્દ્રિયોના સહારે માત્ર ઉપભોગી પદાર્થોને ભોગવવામાં તે વ્યસ્ત રહે છે. એટલે પોતાની મૂળભૂત પ્રકૃતિને જાણવાનો સમય મળતો નથી, કે જાણવાની ઈચ્છા પણ થતી નથી. મન-બુદ્ધિ-ચિત્તનું વિશેષ પ્રકારનું કૌશલ્ય પ્રાપ્ત થયું હોવાં છતાં, માનવી મારું-તારુંની ભેદભાવની પ્રકૃતિમાં બંધાયેલું તુચ્છ જીવન જીવે છે. મારું-તારું-પરાયું એવી ભેદભાવની પ્રકૃતિ, કે રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનની પ્રકૃતિ માનવીને અર્પણ નથી થઈ. મન-બુદ્ધિને સાત્ત્વિકભાવનું કોશલ્પ અર્પણ થયું છે, જેથી તે પોતાના સ્વ સ્વરૂપની દિવ્યતાને અનુભવી શકે. અર્થાત્ પ્રભુની આત્મીય ચેતનાના અવિભાજિત અંશ રૂપે મન રૂપી વાહનની વિશેષ પ્રાપ્તિ થઇ છે. પરંતુ રાગ- દ્વેષાત્મક વર્તનના કર્મસંસ્કારોનું આવરણ મન પર પથરાઈ જતાં, પોતાના સ્વ સ્વરૂપની દિવ્યતાનું, એટલે કે પ્રભુ સાથેના અાત્મીય સંબંધનું સ્મરણ મનને થતું નથી!

 

આત્મીય સંબંધના વિસ્મરણને લીધે માનવી પશુ જેવું જીવન નથી જીવતો, પણ પશુ જેવી સીમિત વૃત્તિથી તે માત્ર અળ, ઘર, વસ્ત્ર વગેરે ભોગ્ય પદાર્થોને મેળવવાની મહેનતનું જીવન જીવે છે, એવું જીવન તે એટલે મન રૂપી મર્સીડીસ ગાડીને માલ સામાનની હેરાફેરી કરતી હાથગાડીની જેમ વાપરવી, મન રૂપી શ્રેષ્ઠ વાહનના હેરાફેરી જેવા વપરાશથી એનું સાત્ત્વિકભાવનું કૌશલ્ય રૂંધાઈ જાય છે. એટલે પરભવ પુણ્યના પ્રભાવથી જ્યારે સ્વયંને જાણવાની જિશાસા જાગે છે અને સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ માનવી ઢળે છે, ત્યારે પોતાના મનને સાત્ત્વિક વિચાર-વર્તનમાં સ્થિત રાખવાનું મુશ્કેલ લાગે છે. મનની એવી મુશ્કેલી પણ દૂર થઈ શકે, જો સ્વમય અંતરયાત્રાનો સંકલ્પ દૃઢ હોય. સંકલ્પની દઢતાને જો વાસ્તવિક સત્ દર્શનની પુષ્ટિ મળતી રહે, તો રૂંધાયેલો મનનો સાત્ત્વિક પ્રભાવ જાગૃત થઈ શકે. સત્ દર્શનની પુષ્ટિ ઘારણ થાય જ્યારે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં, ત્યારે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરાવતી જ્ઞાન-ભક્તિમાં મન સ્થિત થતું જાય, પછી જીવંત જીવનનો આશય સ્પષ્ટ થતો જાય, કે પ્રેમભાવથી જીવવાનું છે અને એકબીજા સાથેના ઋણાનુબંધને લીધે વસ્તુ, વ્યક્તિ, કે પરિસ્થિતિ સાથેનું અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોનું જીવન જીવવું પડે છે.

 

સામાન્ય રૂપે માનવી મનમાં લોકિક પદાર્થોને ભોગવવાની ઈચ્છાઓ હોય, તથા અમુક વ્યક્તિગત સંબંધોની મનગમતી પરિસ્થિતિને ભોગવવાની ઈચ્છાઓ હોય. ઈચ્છાઓની અતૃપ્તિમાં ભોગ રૂપે પ્રેમની પ્રસન્નતાને માણવાની જ ઈચ્છા હોય છે. એટલે સત્ દર્શન રૂપે મનોમન જો સમજણપૂર્વક સ્વીકાર કરીએ, કે એકબીજા સાથેના સંબંધમાં પ્રેમની પૂર્તિ થાય એવું વર્તન જરૂરી છે, તો ભોગ રૂપે ઈચ્છાઓ શાંત થતી જાય અને અતૃપ્ત ઈચ્છાઓનું આવરણ ઘટતું જાય. સત્સંગી મન આ સમજણને સ્વીકાર્યા પછી પણ પ્રેમની નિઃસ્વાર્થતા ભૂલીને પ્રેમાળ વર્તનના મહોરાં પહેરે છે. કારણ માનવીને પોતાની બુદ્ધિનો, પદવીનો, આર્થિક સમૃદ્ધિનો એટલો બધો અહંકાર હોય છે, કે સરખામણી કરવાના ભેદભાવમાં પ્રેમની નિર્મળતા જાગૃત થઈ શકતી નથી. માનવી પાસ રૂપે નિઃસ્વાર્થ પ્રેમનો સ્પર્શ ક્ષણે ક્ષણે કરે છે, પણ અહંકારી વર્તનના લીધે માત્ર જીવંત જીવનનું સત્ત્વ મેળવે છે. તેથી નિઃસ્વાર્થ પ્રેમની સાત્ત્વિકતાને ગ્રહણ કરી શકતો નથી. એટલે રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવના લીધે પ્રભુની પાસની ચેતનાનો અનાદર થયાં કરે છે.

અનાદર કરતું અજ્ઞાની માનસ શ્વાસની નિઃસ્વાર્થ પ્રેમની સાત્ત્વિકતાને ઝીલી શકતું નથી. એટલે પ્રભુની સમીપતાની અનુભૂતિ અહંકારી માનસને પતી નથી, એવું અજ્ઞાની મન સર્વવ્યાપક પ્રભુની હાજરીને માત્ર મંદિરની મૂર્તિમાં જુએ છે. પ્રભુની ચેતનાનો સંગ સતત થતો રહે છે. તેની સમીપતાને જો અનુભવી ન શકાય તો સમજી જવું કે મન રૂપી હોડીમાં અજ્ઞાની, અહંકારી રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોના છિદ્રો છે. એવી હોડી પ્રભુના મહાસાગરમાં તરી ન શકે. એવી હોડીને સાગરમાં તરવું છે પણ ભીના નથી થવું. અર્થાત્ સંસારી રાગ દ્વેષના વિચાર-વર્તન રૂપી કિનારાને છોડવા નથી, કિનારાનું વળગણ ન છૂટે તો સાગરમાં તરવાનું અશક્ય છે. જ્યાં સુધી બુદ્ધિ ચાતુર્યનો અહંકાર છે, ત્યાં સુધી અહમ વૃત્તિઓનું સમર્પણ થતું નથી. કિનારાની રેતી કે માટી તો સાગરના પાણીથી જેમ ભીની થયાં કરે, તેમ જીવંત જીવનનું સત્ત્વ માનવીને મળી રહે છે. પરંતુ પ્રભુના સાત્ત્વિક ગુણો રૂપી નિઃસ્વાર્થ પ્રેમની ચેતનાના વહેણમાં તરવા માટે કિનારાના મોહથી મુક્ત થવું પડે.

 

જિજ્ઞાસુ ભક્ત ચેતનાના વહેણમાં તરવા માટે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહે છે. જેથી લૌકિક કિનારાની માટીના મોહથી મુક્ત કરાવતાં જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થઈ શકાય. સાંનિષ્પ રૂપે મનનો શરણભાવ જાગૃત થાય અને જ્ઞાન-ભક્તિ રૂપે મોહનું નિવારણ થતું જાય, મોહ છોડવો મુશ્કેલ તેને લાગે જેને પ્રભુ રૂપી સાગરનો પરિચય નથી. સાગરની વિશાળતાનો, ઊંડાણનો એના નિઃસ્વાર્થ પ્રેમના વહેણનો, એની શાશ્વત અમૃત ધારાનો જેને ખ્યાલ નથી, તેને માટે કિનારા સિવાય બીજું કંઈ નથી. એવાં અજ્ઞાની માનસને લીધે તેઓ કિનારાને જ મહત્તા આપે છે. તેઓ એવી માન્યતાથી જીવે છે, કે બધી ઈન્દ્રિયોથી કિનારા રૂપી લૌકિક સંસારને અનુભવી શકાય છે અને પ્રભુ સાગર તો અદશ્ય છે. એવું મન દશ્યમાન પદાર્થોના ભોગમાં જે અદશ્ય છે એવાં સૂર-સ્વરનો, કે સ્વાદનો જ્યારે અનુભવ કરે, ત્યારે અદૃશ્ય દશ્યના સંબંધનો ભેદ જો સમજાય તો કિનારાનો મોહ છૂટતો જાય. પછી પ્રભુને વિનંતિ થાય કે

 

મોહન તારી પ્રીતથી મિત થવું છે, માટીના મોહને ઓગાળી દેજો

ભક્તિ ભાવનો રંગ લગાડ્યો તમે, અનન્ય કૃપાની મહેર વરસાવી તમે;

શ્વાસની મહેકમાં મારું-તારું ના રહ્યું, અંતર ધન પ્રગટે તારા ભાવથી;

ચક્ષુ દાનથી તારા દર્શન થાય રે, મોહન તારા તેજમાં આવરી લેજે.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More