Article Details

પ્રભુ સંગ સુગંધ

પ્રેમભાવની નિર્મળતાનું ધામ એટલે ‘મા’નો ખોળો. નાનું બાળક માત્ર ભૂખ લાગી હોવાંથી રડતું નથી, પણ એને ‘મા’ની ગોદમાં-ખોળામાં લપાઈ જઈને ‘મા’ના પ્રેમને માણવો હોય છે. એટલે જ ‘મા’ની ગોદમાં લપાઈ જાય પછી બાળકનું રડવાનું આપમેળે બંધ થઈ જાય છે. ‘મા’ના ખોળાની ખોટમાં એને રમકડાં રમવાનું મન જો સંજોગોની ઘટનાઓનો અસ્વીકાર કરે તો કર્મસંસ્કારોનો સામાન વધતો જાય. એટલેપણ ગમે નહિ, કે બીજી કોઈ પ્રક્રિયા કરવાનું ગર્મ નહિ. તે ક્ષણે એને કશું જ ન જોઇએ, એને તો માત્ર ‘મા’નો વહાલભર્યો સ્પર્શ જોઈએ. પ્રેમના ખોળામાં સૂતાં સૂતાં સ્નેહભરી ‘મા’ની દૃષ્ટિમાં પ્રભુ દર્શનની ઝાંખી કરે અને પ્રેમભાવને પ્રસરાવતી ‘મા’ની વાણીને(હાલરડું) સાંભળી સ્મિત રેલાવે. પછી વાત્સલ્ય પ્રેમથી ભરેલી દૂધની ધારાને ઝીલે, ત્યારે ‘મા’ના ખોળામાં સંતોષની સમાધિમાં ચિત થઈને સૂઈ જાય. આવાં નિર્મળ, નિષ્કામ પ્રેમથી લગભગ દરેક બાળકનો ઉછેર થતો હોય છે. બાળક મોટું થયાં પછી પણ તે જ પ્રેમના રસને માણવા માંગે છે, પણ નિશાળનું ભણતર, મિત્રો કે મોબાઈલ ગેમમાં એ ખોવાઈ જાય છે અને ‘મા’ના ખોળાને વિસરી જાય છે.

 

તે નિર્મળ પ્રેમની ભૂખ હોવાંથી, માનવી દસ ઈન્દ્રિયોના દ્વારથી બહારના સ્થૂળ જગતમાં પ્રેમને શોધે છે. પરંતુ વ્યક્તિગત સંબંધોમાં, કે વ્યવહારિક જગતની પ્રવૃત્તિઓમાં તે નિર્મળ પ્રેમનો રસ મળતો નથી. એનું કારણ છે સંકુચિત મનની અજ્ઞાનતા, જ્યાં સુધી મન એકબીજા સાથે સરખામણી કરવામાં, રાગ-દ્વેષનાં વર્તનમાં બંધાયેલું રહે છે, ત્યાં સુધી તે નિર્મળ પ્રેમની ધારાનો જો સ્પર્શ થાય તો પણ તેને ઝીલી શકતું નથી. મન પર પથરાયેલાં રાગ-દ્વેષાત્મક વૃત્તિઓનાં અજ્ઞાની આવરણને લીધે, માનવી એવાં જ વિચાર-વર્તનમાં ગૂંથાઈને જીવે છે. તેથી શુદ્ધ નિર્મળ પ્રેમનો સ્પર્શ શ્વાસે શ્વાસે પતો હોવાં છતાં મન તેને માણી શકતું નથી. વર્તમાન સમયમાં ઝડપથી બધું મેળવી લેવાની હરીફાઈમાં માનવી દોડ્યાં કરે છે. સુખ, કીર્તિ, સન્માન, રૂપિયા મેળવવા માટે દોડતાં માનવી પાસે માતા-પિતાનો પ્રેમ ઝીલવાનો સમય નથી. રોજિંદા કાર્યોમાં અને રૂપિયાની કમાણી કરવાના કાર્યોમાં માનવી એટલો વ્યસ્ત રહે છે, કે વૃદ્ધ માતા-પિતાની હાજરી હોવાં છતાં તેઓની સાથે બેસીને વાતો કરવાનો કે સાથે જમવાનો પણ સમય મળતો નથી.

 

માનવીને પોતાની બુદ્ધિ ચાતુર્યનો મિથ્યા અહંકાર હોય છે, અહંકારી સ્વભાવ હોવાથી પોતાના ભણતરનો કારકિર્દીની સફળતાનો, અથવા શારીરિક દેખાવનો, કે રૂપિયાથી પ્રાપ્ત થતાં વૈભવનો નશો હોય છે. નાશવંત સ્થિતિની પ્રાપ્તિનો એવો નશો ક્યારેક સંજોગોના ચઢાવઉતારમાં ઊતરે, ત્યારે જે મેળવવાનું હતું, જે અનુભવવાનું હતુ તે ચૂકી જે ગયા એવો પસ્તાવો થાય. ચૂકી જવાની ભૂલનું દર્શન કરવાનું મોટેભાગે માનવીને ગમે નિહ અને સંજોગોવશાત્ જો ભૂલોનું દર્શન થાય, તો પોતાની ભૂલો માટે એ આસપાસની પરિસ્થિતિને કે વ્યક્તિને દોષિત ગણે છે. એટલે ઘણીવાર પસ્તાવો થયાં પછી પાછો અભિમાનનો નશો ચઢતો જાય. એવો નશો ત્યારે જ ઊતરે જ્યારે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિનો રસ પીવા મળે. માતા-પિતાએ જે નિર્મળ પ્રેમથી ઉછેર કર્યો તે ઉછેરનાં સુસંસ્કારો, યુવાનીમાં હું કંઈક છું એવાં અભિમાનથી સુષુપ્ત થયાં હતાં, એ જાગૃત થાય જ્ઞાન-ભકિતના રસથી. જે જિજ્ઞાસુ ભક્ત આ અમૂલ્ય રસ પીધાં કરે તે જીમના રસાસ્વાદના વળગણથી છૂટતો જાય, તેને તન-મનની જીવંત સ્થિતિની મહત્તા સમજાતી જાય અને ઈન્દ્રિયગમ્ય ભોગ પાછળની દોટનું કે વળગણનું કારણ સમજાતું જાય કે, અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારો વિચાર-વર્તનથી ભોગમાં મનને આળોટાવે છે.

 

કર્મસંસ્કારોના અજ્ઞાની આવરણને વિલીન કરવા માટે, જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જો ભક્તિભાવમાં સ્થિત કરાવતો પુરુષાર્થ થાય, તો અન્ન વૃત્તિઓને તૃપ્તિનો રાહ મળતો જાય અને સ્વ બોધની ધારામાં સ્નાન થતું જાય, પછી બાળપણમાં અનુભવેલાં માતા-પિતાના નિર્મળ પ્રેમના અણસારા મળતાં જાય અને સ્વ અનુભૂતિમાં સ્થિત કરાવતી અંતર યાત્રા થતી જાય. ભક્તિ રસમાં મન જેમ જેમ તલ્લીન થતું જાય, તેમ તેમ દરેક ઇન્દ્રિયોની સહયોગી સ્થિતિનો મર્મ ગ્રહણ થતો જાય. જેમકે જીભની ક્રિયા માટે પુરુષાર્થ કરવો પડતો નથી. ખાતી વખતે કે વાણીના ઉચ્ચાર માટે આપમેળે જીભની ક્રિયા સહજતાથી થાય છે. જીભની ક્રિયાનો ભાવાર્થ એ છે, કે જીભ જેમ એક બાજુથી જોડાયેલી છે અને બીજી બાજુથી કશે પણ જાડાપા વગર સ્વતંત્ર રીતે તે પોતાનું કાર્ય કરે છે, તેમ મન માને છે કે તે બધાયેલું છે ધારીર સાથે. પરંતુ તે આત્મીય ચેતના સાથે જોડાયેલું છે, કારણ મન છે આત્મીય ચેતનાનો અશ. તે શરીર સાથે જોડાયેલું નથી પણ શરીરનું બંધન મન અનુભવે છે કારણ કર્મસંસ્કારોનું આવરણ પથરાયેલું છે. દેહની ક્રિયાઓનો માર્મિક ભાવાર્થ જો ગ્રહણ થાય, તો કર્મ-ફળની પ્રયિાના પરિણામમાં મન બંધાય નહિ, પછી મુક્ત ગતિથી અંતર ભક્તિ સ્વરૂપે સ્વાનુભૂતિનો આનંદ માણી શકાય.  ઇન્દ્રિયોની સપોગી સ્થિતિ હોવાથી, વિષય ભોગની ક્રિયાને મન સ્વતંત્રતાથી ભોગવે છે. મન પણ જો ઇન્દ્રિયોની જેમ સહયોગી ભાવથી જીવે, તો જેની સાથેનું અતૂટ જોડાણ છે તે પ્રભુની આત્મીય ચેતનાની ગુણિયલતાને ભોગવી શકાય એવી બંધનમુક્ત સ્વતંત્ર ગતિ ધારણ થઈ શકે છે. જ્ઞાની ભક્ત એવી મુક્ત ગતિથી પ્રભુના આત્મીય સંગને માણે છે અને સ્વાનુભૂતિ રૂપે પ્રગટેલાં પ્રભુના ગુલિયલ ધનને બીજા જિજ્ઞાસુ પાત્રોને અર્પણ કરી દે છે. સામાન્ય રૂપે માનવીના સ્વભાવમાં અર્પણભાવની સુગંધ ન હોય. કારણ મારી મહેનતનું છે એવાં માલિકીભાવથી તે જીવે છે. તેથી અર્પણભાવ ખીલવવામાં વર્ષો વીતી જાય છે. એટલે જ સમર્પણભાવની એટલે કે અર્તાભાવની જાગૃતિ સહજ થતી નથી. અર્પણ રૂપે બીજાને ત્યારે આપી શકાય જ્યારે મારું પોતાનું કંઈ નથી એવી પરિપક્વતા જાગે. એવી પરિપક્વતા અંતર ભક્તિ સ્વરૂપે ધારણ પાય, ત્યારે શુદ્ધ મનની સાત્ત્વિકતા અર્પણ ભાવ રૂપી ફુલોને ખીલવતું વૃક્ષ બની જાય. જે સમર્પણભાવની હરિયાળી બની પ્રભુના અનંતગુણોના પ્રભુત્વને માણે દિવ્ય પ્રીત સ્વરૂપે અને બીજા સુપાત્રોને તે દિવ્ય ધન એક 'મા'ની જેમ નિર્મળભાવધી અર્પણ કરતો રહે.

 

ભક્ત તો પ્રભુ સંગ સ્વરૂપે અનંત પ્રભુત્વને માળે, ત્યારે પ્રભુ સંગની સુગંધ ભક્તિભાવથી પ્રસરે;

પ્રભુ પ્રીતને ભોગવે અને જ્યોત દર્શન રૂપે પ્રભુ સંગ જમે, ત્યારે જગને જમાડવા નિમંત્રણ આપે;

પ્રભુ પીતનું અન્ન ખાવા જવલ્લે જ કોઈ આવે, તોપે અધિકારી પાત્રો માટેનો ભાગ તે અચૂક રાખે;

ના બંધનો છોડીને પ્રભુનો સં રખેને ક્યારેક તે પાત્ર જાગી જાય, તો દેહના બંધનો છોડીને પ્રભુનો સંગ માણી શકે.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા